Veer Mandhata is giving lots of knowledge.

Wednesday, 4 January 2023

પ્ર. ૧. ભારતના બંધારણનાં વિશિષ્ટ લક્ષણોની ચર્ચા કરો.

૧. લિખિત બંધારણ : ભારતનું બંધારણ લિખિત છે. આખી દુનિયામાં ભારતનું બંધારણ મોટામાં મોટું છે. તેમાં ૩૮૩ અનુચ્છેદો અને ૯ પરિશિષ્ટો છે.
૨. બંધારણસભા દ્વારા બંધારણની રચના : ભારતનું બંધારણ । ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા ઘડાયું છે, એટલે જનતાએ ઘડયું છે.
૩. વિદેશનાં બંધારણની અસર : ભારતના બંધારણમાં વિવિધ દેશોનાં બંધારણોનો સમન્વય કરવામાં આવ્યો છે. સંસદીય પદ્ધતિ અને રાષ્ટ્રપ્રમુખની સત્તા બ્રિટનના અલિખિત બંધારણમાંથી, રાષ્ટ્રપતિને શેષ સત્તા કેનેડાના બંધારણમાંથી, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આયર્લેન્ડના બંધારણમાંથી અને રાજ્યસભામાં વિશિષ્ટ જ્ઞાનસંપન્ન વ્યક્તિની નિમણૂક અમેરિકાના બંધારણના પ્રભાવમાંથી લેવામાં આવી છે.
૪. આમુખ : ભારતના બંધારણનો પ્રારંભ આમુખથી થાય છે. આમુખ બંધારણને શક્તિ આપનાર સ્ત્રોત જેવો છે ને તેને મંજૂર કરનાર શક્તિ અને તેનું સ્વરૂપ તેના હેતુ અને સત્ત્વને સ્પષ્ટ કરે છે.
૫. સાર્વભૌમ લોકશાહી પ્રજાસત્તાક રાજ્ય ઃ ભારતનું બંધારણ લોકોના સાર્વભૌમત્વ પર ભાર મૂકે છે. ભારત આંતરિક અને બાહ્ય એમ બંને રીતે સ્વતંત્ર છે. ભારતમાં ભારતની પ્રજા સિવાય કોઈ સર્વોપરી સત્તા નથી. ભારત લોકશાહી રાજ્ય છે, એટલે ભારતની સરકાર ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા બનેલી છે. પ્રધાનમંડળ સંસદને જવાબદાર હોય છે. પુખ્ત વયના બધા લોકો મતદાન કરી શકે છે. ભારત પ્રજાસત્તાક દેશ હોવાથી. કોઈ સત્તા વંશપરંપરાગત આપવામાં આવતી નથી. પ્રજાસત્તાક દેશ હોવાથી, પણ ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા એવી સત્તા પ્રાપ્ત થાય છે.
૬. વિશિષ્ટ પ્રકારનું સમવાયતંત્ર : ભારતનું બંધારણ સમવાય છે. બંધારણમાં કોઈ જગ્યાએ સમવાયતંત્ર શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. બંધારણમાં ભારતનો ઉલ્લેખ ‘રાજ્યનો સંઘ‘એ રીતે કરવામાં આવ્યો છે. બંધારણની સર્વોપરિતા, લિખિત બંધારણ, સંઘસરકાર તથા રાજ્યસરકાર વચ્ચે સત્તાની વહેંચણી અને ન્યાયની સર્વોપરિતામાં સમવાય લક્ષણો માલૂમ પડે છે. બંધારણમાં એકતંત્રી બંધારણનાં તત્ત્વો પણ છે. દા.ત., સમગ્ર ભારત માટે એકધારું સળંગ ન્યાયતંત્ર, સમગ્ર ભારતના દીવાની અને ફોજદારી કાયદાઓ, ગવર્નર નીમવામાં કેન્દ્ર સરકારને અધિકાર, રાજ્યમાં જુદાં જુદાં રાજ્યોને અસમાન પ્રતિનિધિત્વ, કટોકટીના સમયે કેન્દ્રની એકહથ્થુ સત્તા, વગેરે જોતાં ભારતના બંધારણનું સ્વરૂપ સમવાયી છે. પણ તેનો આત્મા એકતંત્રી રાજ્યનો વધુ છે. સામાન્ય સંજોગોમાં સમવાયતંત્રી છે, પણ કટોકટીના સંજોગોમાં જરૂર પડતા તે એકતંત્રી બની જાય છે. આ રીતે આપણું બંધારણ સુપરિવર્તનશીલ સમવાયતંત્રી છે.
૭. બિનસાંપ્રદાયિકતા : ભારતના બંધારણનું આ એક વિશિષ્ટ, જુદું તરી આવે એવું લક્ષણ છે. ભારતીય બંધારણ ધાર્મિક પણ નથી અને અધાર્મિક પણ નથી. જુદા જુદા ધાર્મિક મતમતાંતરો અને ધાર્મિક પ્રવૃત્તિથી તે સદંતર વેગળું છે.ધાર્મિક બાબતોમાં તે તટસ્થ છે. ભારતમાં ધર્મ, જાતિ, પંથના ભેદભાવો વગર બધા નાગરિકોને સમાન અધિકાર આપવામાં આવ્યા છે, ધર્મને કારણે કોઈ ઉચ્ચ નથી કે કોઈ નીચ નથી. દરેક નાગરિક ફાવે તે ધર્મ પાળી શકે છે. નાસ્તિક પણ રહી શકે છે. ધર્મની બાબતમાં સંપૂર્ણ તટસ્થ છે.
૮. મૂળભૂત અધિકારો : લોકશાહી દેશોમાં વ્યક્તિને તેના મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા હોય છે. આવા અધિકારો વડે વ્યક્તિ પોતાનો વિકાસ સાધી શકે છે. વ્યક્તિ પોતાના મૂળભૂત અધિકારોનો ઉપયોગ કરી શકે તે માટે તેની બાંયધરી બંધારણમાં આપવામાં આવી છે. ભારતના બંધારણમાં આ અધિકારોનો વિગતપૂર્ણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મૂળભૂત અધિકારોમાં
(૧) સમાનતાનો અધિકાર,
(૨) વાણી, વિચાર, વ્યવસાય, વસવાટ, હરવા ફરવાની
સ્વતંત્રતાનો અધિકાર,
(૩) શોષણ વિરોધી અધિકાર,
(૪) ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, (૫) સંસ્કૃતિ અને શિક્ષણ વિષયક અધિકાર,
(૬) મિલકતનો અધિકાર (je hal rad thai gyo chhe)
(૭) બંધારણીય ઇલાજનો અધિકાર.

કોઈ પણ નાગરિકને પોતાના કોઈ પણ અધિકારનો ભંગ થતો લાગે તો પોતાના અધિકારના રક્ષણ માટે અદાલતનો આશ્રય લઈ શકે છે.
૯. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ઃ મૂળભૂત અધિકારો સાથે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને પણ બંધારણમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ સિદ્ધાંતો ભારતને કલ્યાણકારી રાજ બનાવવા માટે છે. આ સિદ્ધાંતો રાજ્યને નૈતિક સૂચના રૂપ છે. આ સિદ્ધાંતોના પાલન માટે અદાલતનાં બારણાં ખખડાવી શકાતાં નથી. પરંતુ રાજ્યે શું કરવું જોઈએ તેની યાદી આ સિદ્ધાંતમાં આપેલી છે.
૧૦, મર્યાદિત સત્તાવાળા પ્રમુખ ઃ ભારતમાં રાજ્યના વડા રાષ્ટ્રપ્રમુખ છે. તેમના નામે સંઘ સરકારનો વહીવટ ચાલે છે. તેમની કારોબારીની સત્તાનો ઉપયોગ સંસદને જવાબદાર એવું પ્રધાનમંડળ કરે છે. આપણા પ્રમુખ બ્રિટનના રાજાની જેમ નામના વડા છે. રાષ્ટ્રપ્રમુખ રાષ્ટ્રના પ્રતિનિધિ છે, પણ રાષ્ટ્રના શાસનકર્તા નથી. તે રાજ્યના વડા હોવા છતાં કારોબારીના સાચા વડા નથી.’ (ડૉ. આંબેડકર)
* મિલકતના અધિકારોમાં સંસદે ૪-૮-’૮૧ના રોજ એક ખરડો પસાર કર્યો છે, તે પ્રમાણે મિલકતનો અધિકાર મૂળભૂત અધિકાર રહેતો નથી. સરકાર જાહેર હિત માટે ગમે તે રકમ આપીને લઈ શકે છે.
૧૧. શક્તિશાળી કેન્દ્ર સરકાર ઃ આપણા બંધારણે કેન્દ્ર સરકારને વિશાળ સત્તા આપી છે. સંઘયાદી અને સંયુક્ત યાદીના કુલ ૧૪૪ વિષયો પર કાયદા ઘડવાની વિશાળ સત્તા કેન્દ્ર સરકારને મળી છે. સામાન્ય રી સમવાયતંત્રમાં કેન્દ્રસત્તા શક્તિશાળી હોતી નથી. તેની પાસે ઓછી સત્તા હોય છે. ભારતની સંઘ સરકાર ઘણી સત્તા ધરાવે છે.
૧૨. એક અને અખંડ ન્યાયતંત્ર ઃ ભારતમાં એકધારું, સળંગ અને
સુગ્રથિત ન્યાયતંત્ર છે. સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ પર દેખરેખ રાખે છે. સુપ્રીમ કોર્ટ બંધારણના વાલી તરીકે વર્તે છે. સમવાયતંત્રમાં સંઘસરકાર અને રાજ્યોનું અલગ ન્યાયતંત્ર હોય છે. ભારતમાં નથી.
૧૩. સંસદીય પદ્ધતિની સરકાર ઃ ભારતમાં સંસદીય શાસનપ્રથ છે. પ્રજાના ચૂંટાયેલા સભ્યોમાંથી પ્રધાનમંડળની રચના થાય સંસદનો વિશ્વાસ હોય ત્યાં સુધી તેઓ સત્તાસ્થાને રહી શકે છે. ભારતન છે. પ્રમુખ બ્રિટનના રાજાની જેમ નિર્બળ કે અમેરિકાના પ્રમુખની જેમ શક્તિશાળી નથી.
૧૪, પુખ્તવય મતાધિકાર ઃ લોકશાહી બંધારણને અનુરૂપ પુખ્તવય મતાધિકાર બંધારણમાં સ્વીકારવામાં આવ્યો છે. કોમી મતદારમંડળો, કોમી પ્રતિનિધિત્વની પ્રથા દૂર કરવામાં આવી છે.૨૧ વર્ષની વ્યક્તિ કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના મતદાન કરી શકે.
૧૫. એક નાગરિકત્વ : બંધારણ પ્રમાણે ભારતમાં સમવાયતંત્ર  હોવા છતાં વ્યક્તિ એક નાગરિકત્વ ધારણ કરી શકે છે.
૧૬. પરિવર્તનશીલ : આપણા બંધારણમાં ફેરફાર સહેલાઈથી કરી શકાય એવી જોગવાઈ રાખવામાં આવી છે.
૧૭. કેટલાક ખાસ પ્રબંધોઃ બંધારણમાં પછાત વર્ગ અને અનુસૂચિત જાતિના ઉત્કર્ષ માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે. તેમને માટે ધારાસભામાં અનામત બેઠકો, રાજ્યની નોકરીમાં ખાસ અધિકાર વગેરેની પહેલાં દસ વર્ષ માટે ખાસ જોગવાઈ કરવામાં આવી હતી. ૧૯૭૭માં આ મુદત વધારવામાં આવી છે.

ભારતના બંધારણમાં વિશ્વનાં બીજાં બંધારણોનાં સારાં તત્ત્વોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે લિખિત છે, છતાં પરિવર્તનશીલ છે. આંબેડકર જણાવે છે કે આખરે તો બંધારણ ગમે તેટલું સુંદર હોય, પણ તેની સફળતાનો આધાર તો એના પ્રમાણે વર્તનાર, અને અમલમાં મૂકનાર, લોકો પર જ છે.
ધન્યવાદ