(૧) ભારતનો નાગરિક ધારો, ૧૯૫૫
૧૯૫૫માં સંસદે ભારતમાં નાગરિકત્વ પ્રાપ્ત કરવા માટે Citi- zenship of India Act ૧૯૫૫પ્રચલિત કર્યો. તા. ૨૬-૧-૧૯૫૦ પછી ભારતમાં સાર્વભૌમ પ્રજાસત્તાક રાજ્ય થવાથી પરિસ્થિતિમાં જે ફેરફાર થયો તેને અનુરૂપ આ કાયદો કરવામાં આવ્યો. તેના મહત્ત્વન પ્રબંધો નીચે મુજબ છે.
૧. જન્મથી નાગરિકત્વ ઃ જે વ્યક્તિ તા. ૨૬-૧-૫૦પછી અગર તારીખે ભારતમાં જન્મી હોય તે જન્મથી જ ભારતનું નાગરિકત્વ ધરાવે
૨. વારસાથી નાગરિકત્વ ઃ જે વ્યક્તિ તા. ૨૬-૧-૫૦ની તારી
અથવા ત્યારબાદ ભારત બહાર જન્મી હોય પણ જેનો પિતા તેના જન્મ વખતે ભારતનો નાગરિક હોય તે વ્યક્તિ વારસા દરજ્જે ભારતની નાગરિક છે.
૩. નોંધણીથી નાગરિકત્વ ઃ જે વ્યક્તિને નાગરિકત્વ પ્રાપ્ત થયું1 હોય તે વ્યક્તિ આ કાયદા નીચે નિયુક્ત થયેલ અધિકૃત અમલદાર પાસે અરજી કરીને નાગરિકત્વ નોંધણીથી પ્રાપ્ત કરી શકે છે. તેમાં સ્વાભાવિક રીતે એવી વ્યક્તિઓનો સમાવેશ થશે, જે સામાન્ય રીતે ભારતમાં વસવાટ કરતી હોય અને નોંધણીની અરજી પહેલાં ૬ માસ પહેલાંથી ભારતમાં વસતી હોય.જે સ્ત્રીઓ ભારતના નાગરિકો સાથે લગ્ન કરીને ભારતમાં આવી હોય તેણે નાગરિકત્વ નોંધાવવું જોઈએ.
૪. પ્રકૃતિકરણથી નાગરિકત્વઃ જે પરદેશીઓ ભારતનું નાગરિકત્વ પ્રાપ્ત કરવા માગતા હોય તે ભારત સરકારને અરજી કરી ભારતીય પ્રકૃતિને અનુરૂપ વર્તવા માટેનો ઈરાદો વ્યક્ત કરી નાગરિકત્વ પ્રાપ્ત કરી શકે છે.
૫. જો કોઈ નવો પ્રદેશ ભારતનો ભાગ બને તો ત્યાંની પ્રજાને નાગરિકત્વ પ્રાપ્ત કરવા માટે યોગ્ય પ્રબંધ કરશે. છતાં, (અ) જો કોઈ વ્યક્તિ સ્વેચ્છાએ પરદેશમાં નાગરિકત્વ પ્રાપ્ત કરે
તો તે ભારતની નાગરિક ગણી શકાય નહિ અગર થઈ શકે નહિ.
(બ) આ નાગરિકત્વ સંસદના નિયંત્રણને આધીન છે અને નાગરિકત્વની પ્રાપ્તિ અગર અંતને માટે સંસદ કાનૂન ઘડી શકે છે.
(૨) ભારતીય નાગરિકત્વ રદ કરવા સંબંધી
૧. જે લોકો નિયત નમૂનામાં પોતે ભારતનું નાગરિકત્વ ત્યજે છે તેવી જાહેરાત ભારત સરકાર સમક્ષ કરે તેમનું નાગરિકત્વ રદ ગણાશે. આવી રીતે ભારતનું નાગરિકત્વ ત્યજી દેનારના સગીર બાળકનું નાગરિકત્વ પણ આપોઆપ રદ થશે.
૨. ભારતના રાજ્યબંધારણ પ્રત્યે બિનવફાદારી દર્શાવવા સબબ અથવા ખોટી વિગત રજૂ કરી તે પાયા પર નાગરિકત્વ મેળવવા બદલ અગર કેટલાક કારણસર તેમનું નાગરિકત્વ જાહેર હિતમાં નથી, તેમ જણાતાં સરકાર કોઈ પણ વ્યક્તિનું નાગરિકત્વ રદ કરી શકશે.