Veer Mandhata is giving lots of knowledge.

Sunday, 8 January 2023

Q.7 રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો

ભારતના બંધારણમાં વિભાગ ૪ માં રાજ્યોને માટે નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિદ્ધાંતો માત્ર નૈતિક સૂચનો છે, તેની પાછળ કાનૂની પીઠબળ નથી. આ સિદ્ધાંતોનો ભંગ ચતા અદાલતનો આશ્રય લઈ શકાતો નથી. આ સિદ્ધાંતો રાજ્યના નાગરિક પ્રત્યેના હકારાત્મક કર્તવ્યનો નિર્દેશ કરે છે. આ સિદ્ધાંતોનું ક્ષેત્ર નીચે પ્રમાણે કહી શકાય.

૧. જીવનનિર્વાહના પૂરતાં સાધનો,

૨. સ્ત્રી-પુરુષ માટે સમાન શ્રમનું સમાન વેતન,

૩. રાષ્ટ્રનાં ભૌતિક સાધનોનું પ્રામાણિક વિતરણ, ૪. બાળશ્રમજીવીની સુરક્ષા,

૫. યોગ્ય વેતન,
૬. કામ કરવાનો અધિકાર,

૭. ૧૪ વર્ષની ઉંમર સુધીના બાળકને મફત ફરજિયાત શિક્ષણ,

૮. ફુરસદની પળોમાં સામાજિક-સાંસ્કૃતિક તકો, ૯. બેકારી, વૃદ્ધત્વ, બીમારી, અસમર્થતા અને તંગીના સમયમાં સહાય,

૧૦. શ્રમજીવી પ્રસૂતાને રાહત,

૧૧. જનતાની સ્વાસ્થ્ય સુધારણા,

૧૨. ગ્રામ પંચાયતો અને વહીવટી વિકેન્દ્રીકરણ,

૧૩. સમાન નાગરિકસંહિતા,

૧૪. દારૂબંધી,

૧૫. કૃષિ અને પશુસંવર્ધન,

૧૬. વહીવટીતંત્ર અને ન્યાયતંત્રનું વિભાજન,

૧૭. આંતરરાષ્ટ્રીય શાંતિપૂર્વક સબંધોનું સ્થાપન.

ઉપરાંત, જેમ બંધારણના ત્રીજા ભાગમાં પ્રજાના મૂળભૂત અધિકારો બતાવ્યા છે તેમ વિભાગ ૪માં આવેલા માર્ગદર્શક અથવા સૂચનાત્મક સિદ્ધાંતોમાં પ્રજાસત્તાક ભારતની રાજ્યસત્તા કે શાસકસત્તાની પ્રજા તરફ શી ફરજો હોઈ શકે એ બતાવ્યું છે.

બંધારણના આમુખ પ્રમાણે ભારતીય ગણતંત્રની સ્થાપના એવી સમાજરચના કરવાના આદર્શ ઉપર થઈ છે જેમાં પ્રત્યેક પ્રજાજનને સામાજિક, આર્થિક અને રાજદ્વારી ન્યાય મળી રહે અને રાષ્ટ્રના સમગ્ર જીવનમાં આ ભાવના ઓતપ્રોત થઈ જાય. રાજ્યનું ધન તથા ઉત્પાદ - જનતાના એક નાના શોષક વર્ગના હાથમાં ન રહેતાં ‘બહુજન હિતાય એ ધનશિવપરાય, જનકલ્યાણ માટે વપરાય, એ માટે કયા માર્ગ અપનાવવા જોઇએ, ક્યા આદર્શ નજર સમક્ષ રાખી શાસન પ્રવૃત્તિ કરવી જોઈએ એ સૂચનાત્મક તથા માર્ગદર્શક સિદ્ધાંતો પરથી ફલિત થાય છે. આ બધું હાંસલ કરતાં કલ્યાણ રાજ્ય (Welfare state) સ્થાપી શકાય એવું સૂચવાયું છે.

આ સૂચનાત્મક માર્ગદર્શક સિદ્ધાંતોમાં બે ગુણતત્ત્વો છે. પ્રથમ તો, એ સ્વતંત્ર ભારતે સિદ્ધ કરવાના આદર્શો છે. બીજું, સૂચનાત્મક સિદ્ધાંતો રાજ્ય માટે માર્ગદર્શક સીમાચિહ્નો છે અને વહીવટના પાયામાં એવી રી રહેલા છે કે ભારતના કેન્દ્ર તથા રાજ્યોના કોઈ પણ વિધાન કે કાનૂન આ સૂચનાત્મક સિદ્ધાંતોથી વિપરીત હોઈ ન શકે. બિનસાંપ્રદાયિક સમાજવાદી લોકશાહીની રચના પરિપૂર્ણ રીતે પ્રાપ્ત કરવા કોઈ શાસક આ માર્ગદર્શક સિદ્ધાંતોની અવગણના કરી શકે નહિ. એ શાસકો માટેની મર્યાદાઓ છે, પ્રજા માટે મંજિલસૂચક સિદ્ધાંતો છે. એ રીતે જો મૂળભૂત અધિકાર એ બંધારણની વર્તમાન સિદ્ધિ છે, તો સૂચનાત્મક સિદ્ધાંત-એ પ્રજા ઉત્થાનના ભાવિ માર્ગો છે.

આ માર્ગદર્શક સિદ્ધાંતોમાં બંધારણના ૪૨મા સુધારાથી નવા અનુચ્છેદો ઉમેરાયા છે ઃ-

(૧) અનુચ્છેદ ૩૯ (અ) સમાન ન્યાય અને મુક્ત કાનૂની સહાય.

(૨) અનુચ્છેદ ૪૩ (અ) ઉદ્યોગોના સંચાલનમાં શ્રમજીવી- ઓની ભાગીદારી.

(૩) અનુચ્છેદ ૪૮ (અ) પર્યાવરણની સુરક્ષા તથા સુધારણા અને વનો તથા વન્ય પશુઓની સલામતી.

(૪) અનુચ્છેદ ૫૧ (અ) મૂળભૂત ફરજો.

(૧) અનુચ્છેદ ૩૯ (અ) ઃ રાજ્ય એવી ખાતરીપૂર્વકની કરશે જેથી કાનૂનની પ્રથા અને ક્રિયાશીલતા માત્ર ન્યાયને ઉત્તેજન આપવા માટે જ હોય. એ માટેની ભૂમિકા એ સમાન તકનો સિદ્ધાંત છે અને ખાસ કરીને ઉચિત યોજના તથા વિધાનો (કાયદા) કરીને નિઃશુલ્ક (મુક્ત) કાનૂની સહાયનો પ્રબંધ કરવો જોઈએ, અથવા અન્ય કોઈ રીતે એવી ખાતરી પ્રાપ્ત થવી જોઈએ કે ભારતના કોઈપણ નાગરિકને આર્થિક અગર અન્ય અસમર્થતાને લીધે ન્યાયનો ઈન્કાર ન થાય અને તેણે ન્યાયથી વંચિત રહેવું ન પડે. આ અનુચ્છેદના પાલનના અનુસંધાનમાં સંસદે ૧૯૮૭માં લીગલ સર્વિસીંગ ઓથોરીટીઝ એક્ટ પ્રચલિત કર્યો છે.

(૨) અનુચ્છેદ ૪૩ (અ) : દેશના ઉદ્યોગોમાં રોજંદારી મેળવતો કે નિર્વાહ કરતો શ્રમજીવી એ માત્ર શ્રમજીવી નથી પણ એક અધિકારથી વિભૂષિત નાગરિક છે અને તેથી જે વ્યવસ્થાતંત્ર અત્યાર સુધી આ શ્રમજીવીના માનવીય અધિકારોનો પણ ઈન્કાર કરતું હતું તેને એવું માર્ગદર્શન આપવામાં આવેલ છે કે આપણે ઉચિત કાયદા કરીને અગર અન્ય માર્ગો અપનાવીને એવાં પગલાં લેવાં જોઈએ જેથી એ શ્રમજીવી કોઈપણ ઉદ્યોગ અથવા ઔદ્યોગિક તંત્ર, અગર અન્ય વ્યવસ્થાપક સંગઠનમાં કાયમ શ્રમજીવી ન રહેતાં તે વ્યવસ્થાતંત્રનો સમાન ભાગીદાર થાય. આ અનુચ્છેદના અનુસંધાનમાં નેશનલ ટેક્સ્ટાઈલ વર્કર્સ યુનિયન વિ. પી. આર. રામકૃષ્ણ (એ.આઈ.આર. ૧૯૮૩ સૂ.કો. ૭૫)માં કોર્ટે ઠરાવ્યું છે કે કોઈ ઉદ્યોગની કંપની ફડચામાં જતી હોય તો શ્રમજીવીને પોતાના હિત તથા પક્ષની રજૂઆત કરવાનો અધિકાર છે.

(૩) અનુચ્છેદ ૪૮ (અ) : પર્યાવરણની સુધારણા તથા સુરક્ષા અને વનો તથા વન્ય પશુઓની સુરક્ષા માટે રાજ્યે બધા પ્રયાસો કરવા જોઈએ એવું આ અનુચ્છેદથી માર્ગદર્શન આપેલ છે. જેના અનુસરણમાં ભારતની સંસદે ૧૯૮૬માં પર્યાવરણ સુરક્ષા અધિનિયમ અને જંગલપશુ સંરક્ષણ અધિનિયમ ૧૯૮૬ અમલી બનાવેલ છે.

(૪) અનુચ્છેદ ૫૧ (અ) : ભારતના નાગરિકોની મૂળભૂત ફરજોની એક સૂચિ આપેલી છે, જે નીચે પ્રમાણે છે ઃ
(એ) બંધારણ પ્રમાણે ચાલવું તથા તેના આદર્શો અને સંસ્થાનું સન્માન કરવું તથા રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનું સન્માન કરવું.

(બી) આપણા રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય સંગ્રામની જેમાંથી પ્રેરણા મળી તે ઉમદા આદર્શોનું અનુસરણ કરવું.

(સી) ભારતનાં સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાની સુરક્ષા કરવી (ડી) દેશનો બચાવ કે સુરક્ષા કરવી અને એલાન મળતાં રાષ્ટ્રીય સેવાઓ આપવી.

(ઈ) ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક, વાડાઓની બહુલતામાંથી સંવાદિતાને ઉત્તેજી સમાન ભ્રાતૃત્વના સિદ્ધાંતને પ્રબળ બનાવવો અને દેશની ગરિમાને હાનિકારક અગર ઉતારી પાડનાર વ્યવહારો તજી દેવા.

(એફ) આપણી બહુલતાવાળી સંસ્કૃતિનો જે કિંમતી વારસો આપણને મળ્યો છે તેનું મૂલ્ય સમજી તેને જાળવવાની પ્રવૃત્તિ એ ફ૨જ છે.

(જી) વનો, સરોવરો, નદીઓ તથા વન્ય પશુઓ સહિત જે નૈસર્ગિક પર્યાવરણ છે તેની સુરક્ષા અને સુધારણા કરવી અને સજીવ પ્રાણીઓ પ્રત્યે અનુકંપા રાખવી.

(એચ) વૈજ્ઞાનિક મનોવૃત્તિ, માનવીયતા, શોધક અને સતત સુધારણ માટે ઈન્તેજારીની ભાવના કેળવવી,

(આઈ) સાર્વજનિક મિશ્ર હિતોની સુરક્ષા કરવી અને હિંસાને ત્યાગ કરવો.

(જે) વ્યક્તિગત અને સામૂહિક પ્રવૃત્તિમાં સર્વશ્રેષ્ઠતા પ્રાપ્ત કરચ સતત પ્રયત્નશીલ રહેવું, જેથી રાષ્ટ્ર તેના પ્રયાસોમાં હંમેશાં ઉચ્ચ સ્ત પહોંચતું રહે અને સિદ્ધિઓ પ્રાપ્ત કરે.