Veer Mandhata is giving lots of knowledge.

Wednesday, 4 January 2023

Q.3 બંધારણે બક્ષેલ મૂળભૂત અધિકારોના સંરક્ષણ માટે કઈ જોગવાઈઓ કરવામાં આવેલ છે?

 ભારતના બંધારણના વિભાગ ૩ થી ભારતની પ્રજાના જે મૂળભૂત અધિકારો સ્થાપિત થયા તે અધિકારોના ભંગ અગર અતિક્રમણ થાય અને કોઈ નાગરિકને એ અધિકારથી વંચિત કરવામાં આવે, અને દેશની સામાન્ય અદાલતો દ્વારા પ્રાપ્ત થયેલ ઉપચારોથી જો તુષ્ટિ થતી ન હોય, તો આવા અધિકારભંગથી હાનિ પામેલ નાગરિક ઉચિત ઉપચારથી વંચિત રહી ન જાય તે માટે અનુ. ૩૨ થી આવા ઉપચારનો પ્રબંધ થયેલ છે.

વિભાગ ત્રીજાથી મળતા અધિકારોની અમલવારી માટે અનુ. ૩૨ થી ઉચિત રીટ આજ્ઞા પ્રાપ્ત કરવા સુપ્રીમ કોર્ટમાં યોગ્ય કાર્યવાહી કરવાનો અધિકાર આપવામાં આવે છે. સુપ્રીમ કોર્ટને જે સત્તાઓ આપવામાં આવી છે, તેમાં સૂચનો, આદેશો અથવા હેબિયસ કોર્પસ (બંદી પ્રત્યક્ષીકરણ),મેન્ડેમસ (પરમાદેશ), પ્રોહિબીશન (પ્રતિરોધ), ક્વોવોરન્ટો (અધિકાર પૃચ્છા), સર્ટીઓરરી (ઉદ્વેક્ષણ)નો સમાવેશ થાય છે અને સંયોગો પ્રમાણે ઉચિત હોય, તે આપવાની હકૂમત અને સત્તા છે.

આ જે સત્તાઓ સુપ્રીમ કોર્ટને આપવામાં આવી તેને પૂર્વગ્રહથી વિપરીત અસર કર્યા વગર, સંસદ કાયદો કરીને કોઈ પણ અન્ય અદાલતને તેના હકૂમતી વિસ્તારમાં આ અધિકારોની અમલવારી કરવાની સત્તાથી વિભૂષિત કરી શકે.

આ અનુચ્છેદથી પ્રાપ્ત થતો અધિકાર, આ બંધારણથી જેનો પ્રબંધ થયો હોય તે સિવાય અન્ય રીતે મુલતવી રાખી શકાશે નહિ.

(૧) રીટ્સ (Writs)

સુપ્રીમ કોર્ટ મૂળભૂત અધિકારનો અમલ કરાવવા માટે કોઈ પણ રીટ ફરમાવી શકે છે.

૧. હેબિયસ કોર્પસ અથવા બંદી પ્રત્યક્ષીકરણ ઃ કોઈ વ્યક્તિને ખોટી રીતે જેલમાં અટકાયત કરી કે ગોંધી રાખવામાં આવે તો તે આ રીટનો ઉપયોગ કરી શકે છે. આવી અટકાયત અંગે તેના સગા કે મિત્ર દ્વારા અરજી થતાં, અટકાયતમાં રાખનાર વ્યક્તિએ તેને અદાલતમાં રજૂ કરવી પડે છે, અને અટકાયતનો ખુલાસો કરવો પડે છે. અદાલતને યોગ્ય લાગે તો તે વ્યક્તિને ત્યાં જ છોડી મૂકવાનો હુકમ કરે છે.

૨. પરમાદેશ : આ રીટ દ્વારા અદાલત સરકાર કે કોઈ પણ સત્તા- અધિકારીને તેની તળેની સાર્વજનિક ફરજનું પાલન કરવાનો કે =રજભંગ કરતાં અટકાવવાનો આદેશ આપી શકે છે. જ્યાં કોઈ કાર્ય વેવેકબુદ્ધિ ૐ પર આધાર રાખતું હોય ત્યાં આવો આદેશ આપી શકાય નહિ.

૩. ઉત્પ્રેષણ : આ રીટ દ્વારા અદાલત નીચલી અદાલતો, ટ્રીબ્યુનલ પાસેથી કોઈ પણ કેસના કાગળ મંગાવી તે પરના નીચલા તંત્ર કરેલ હુકમોમાં કાયદાની કોઈ સ્પષ્ટ ભૂલ હોય તો તે સુધારે છે.

૪. પ્રતિરોધ : આ રીટ અદાલત, નીચલી અદાલત કે ન્યાયતુલ તંત્રો તેમની કાયદા મુજબની હકૂમતની બહાર જતાં હોય તો તેમ કરવાની | તેને મનાઈ ફરમાવે છે.

૫. અધિકાર પ્રશ્ન ઃ આ રીટ દ્વારા કોર્ટ, જો કોઈ વ્યક્તિ, કોઈ પણ સાર્વજનિક હોદ્દો પચાવી પાડે એટલે કે અધિકાર વિના તે જગ્યા પર ચૂંટાય કે નિયુક્ત થાય તો તે હોદ્દો ખાલી કરવાનો હુકમ કરે છે.

સામાન્ય અદાલતોમાં સામાન્ય કાર્યવાહીથી જે પ્રશ્નોનો નિર્ણય થઈ શકે તેમ હોય તેમાં અનુ. ૩૨થી મળતા સુપ્રીમ કોર્ટ સમક્ષ જવાના અધિકારનો ઉપયોગ પ્રતિસ્થાપિત થઈ શકે નહિ. છતાં સામાન્ય અદાલતો જે પ્રકારની વળતર ઈત્યાદિની દાદ આપે છે, તેવી દાદ સુપ્રીમ કોર્ટ પણ અનુ. ૩૨ નીચેની પ્રક્રિયામાં આપી શકે અને મૂળભૂત અધિકારના ભંગથી નુકસાન થયું હોય તેનું વળતર આપવા પણ હુકમ કરી શકે. પરંતુ તેનો અર્થ એ નથી કે, વળતર મળશે જ. જે પ્રશ્નોમાં કે પરિસ્થિતિમાં સામાન્ય અદાલત વળતર અપાવશે કે નહિ તે સવાલ અનિશ્ચિત હોય ત્યાં સુપ્રીમ કોર્ટ વળતર માગનાર પક્ષકારને એ દાદ સામાન્ય અદાલતમાં માગવા સૂચના આપશે. &

છતાં રૂદલશાહ વિ. બિહાર રાજ્યમાં અરજદારને ખૂબ લાંબો સમય અટકાયતમાં રાખી તેના સ્વાતંત્ર્યથી વંચિત કરવામાં આવેલ હતો. તેને અવૈધ નિગ્રહમાંથી માત્ર મુક્તિનો જ નહિ, પરંતુ અવૈધ નિગ્રહ માટેનું વળતર આપવા સુપ્રીમ કોર્ટે હુકમ કર્યો.

રાજ્યના અવૈધ કૃત્ય માટે, ખાનગી વ્યક્તિની માફક તેને શિક્ષા તો થઈ શકે નહિ, તેથી નાણાકીય વળતર આપી રાજ્યનો દંડ કરવો જ જોઈએ.

આ પરિસ્થિતિ લક્ષમાં લઈ સુપ્રીમ કોર્ટે અરજદારને જે અસહ્ય હાનિ, બિહાર રાજ્ય તથા તેના અમલદારો દ્વારા થઈ તે માટે બિહાર રાજ્યે રૂ. ૫૦,૦૦૦નું વળતર આપવું એવો હુકમ કર્યો. સાથે સાથે, એવું પણ ઠરાવ્યું કે, તેથી સામાન્ય અદાલતમાં દાવો કરી વધુ વળતર પ્રાપ્ત કરવાની અરજદારના અધિકારને બાધ નડતો નથી.

(૨) સાર્વજનિક હિતના પ્રશ્નો અંગે દાવા

૧૯૮૧ થી અનુચ્છેદ ૩૨ની પ્રકૃતિ તથા વ્યાપનો વિસ્તાર વધારીને સુપ્રીમ કોર્ટે Public interest litigation નામનું એક પ્રશંસાપાત્ર તત્ત્વ ઉમેરેલ છે. આ સંદર્ભમાં ન્યાયમૂર્તિ ભગવતીએ કહ્યું છે કે, ‘અનુ. ૩૨નું અર્થઘટન કરવામાં અદાલતોએ માત્ર શાબ્દિક અથવા તેના ઔપચારિક સિદ્ધાંતોથી દોરવાઈ ન જતાં આ અનુચ્છેદ ક્યા હેતુ અને ઉદ્દેશ માટે રચાયા છે તે વિચારવું જોઈએ, અને એ જ અનુચ્છેદનું અર્થઘટન અને વિવૃત્તિ ભારતના બંધારણના આમુખ, મૂળભૂત અધિકારો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાંથી પ્રકાશ મેળવીને કરવા જોઈએ.'

જનતાનો કોઈ પણ સભ્ય, જે કોઈ રીતે, કોઈ પ્રશ્નમાં પૂરું હિત ધરાવતો હોય, તે જનતા પ્રત્યેની ફરજભંગથી ફલિત થતી સાર્વજનિક હાનિ માટે, ન્યાયિક રાહત અથવા બંધારણના કોઈ પ્રબંધના ભંગમાંથી ફલિત થતી હાનિ માટે, કાનૂનને ગતિમાં મૂકી આવી સાર્વજનિક ફરજના પાલન માટે અથવા આવા બંધારણીય કે કાનૂની પ્રબંધોની અમલવારી માટે, દાદ માંગી શકે.

જો કોઈ ત્રાહિત અરજદાર, કોઈ અસમર્થ, કોઈ વૃદ્ધ કે નિવૃત્ત વ્યક્તિના અધિકારોના ભંગ માટે દાદ માગે, તો તે ત્રાહિત હોવા છતાં, સાર્વજનિક હિતમાં ઉચિત પક્ષકાર છે, અને અનુ. ૩૨ નીચે આવી ત્રાહિતની અરજી યથાર્થ રીતે ટકવા પાત્ર છે.

(૩) કેટલાંક મંતવ્યોઆપણા બંધારણના ત્રીજા ભાગથી મૂળભૂત અધિકારોની વ્યવહારમ અમલવારી, તેનું પાલન, તેના ઉપરના અતિક્રમણનો પ્રતિકાર કરવા માટે બંધારણના અનુચ્છેદ ૩૨ થી સર્વોચ્ચ અદાલતમાં કાર્યવાહી કરવાન સુરક્ષા અધિકાર આપવામાં આવ્યો છે. આ અનુચ્છેદ ૩૨ થી મૌલિ અધિકારોનું પાલન કરવાનો જે અધિકાર મળે છે તે પોતે જ એક મૌલિક અધિકાર છે. લોકશાહી ભારતના બંધારણની એ આધારશિલા છે.

જસ્ટિસ પતંજલિ શાસ્ત્રીના શબ્દોમાં સુપ્રીમ કોર્ટ એ મૂળભૂત અધિકારોની રક્ષક અને પ્રતિભૂ (Guarantor) છે. તેથી મૂળભૂત અધિકારોના ખંડન માટે દાદ અને ઉપચાર માગવા આવેલ પ્રજાજનન અરજી સ્વીકારવાનો સર્વોચ્ચ અદાલત ઈનકાર કરી શકે નહિ. (રમેશ થાપર વિ. મદ્રાસ રાજ્ય)

અનુચ્છેદ ૩૨ થી એવી પરિસ્થિતિ થાય છે કે સુપ્રીમ કોર્ટ સત જાગૃત રહી પ્રજાના મૂળભૂત અધિકારોની ચોકી કરે છે. આ અધિકારો ખંતપૂર્વક અને સતત જાગૃતિપૂર્વક રક્ષણ કરવું એ સુપ્રીમ કોર્ટનું કર્તવ્ય અને ફરજ છે.

અનુચ્છેદ ૩૨ પ્રમાણે - ઉચિત કાર્યવાહી (Appropriate proceedings)નો ઉલ્લેખ છે તે પાંચ પ્રકારની રીટ આજ્ઞાના સંદર્ભમાં છે. આ રીટ આજ્ઞાઓ અદાલતનો આખરી, અફર, સત્તાધીશ આદેશ છે. જેને વિશિષ્ટાધિકૃત આદેશ (Prerogative writs) કહે છે. આ રીટ આજ્ઞા જે અદાલતે બહાર પાડી હોય ત્યાં તેની બજવણી કરાવી પરત કરવાની હોય છે. તેના પાલનનો ઈનકાર, ઉપેક્ષા કે ક્ષતિ એ અદાલતનો અનાદર છે. આ અસાધારણ ઉપચાર છે અને તાત્કાલિક જરૂરિયાત અગર આસન્ન કટોકટીમાં જ્યારે નિર્ણયાત્મક હસ્તક્ષેપ અનિવાર્ય થાય ત્યારે આવી રીટ આજ્ઞા આપી શકાય.

આ રીતે, મૂળભૂત અધિકારોના પ્રત્યક્ષ-પરોક્ષ અગર કોઈ પણ રીતે, કોઈના પણ દ્વારા થયેલા ભંગનો ઉચિત ઉપચાર બંધારણ દ્વારા પ્રાપ્ત થાય છે.

ધન્યવાદ